Central Library, Vadodra
ગૌરવવંતો ઈતિહાસ:-
ભૂતપૂર્વ વડોદરા રાજ્યના પ્રજાવત્સલ અને આર્ષદ્રષ્ટા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) (૧૮૬૯ – ૧૯૩૯) ના કલ્યાણકારી રાજ્યશાશન દરમ્યાન મહારાજાના યુરોપ અને અમેરિકાના પ્રવાસોમાં ત્યાંની સાર્વજનિક પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસથી પ્રભાવિત થઈ વડોદરા રાજ્યની પ્રજા પણ આવી સ્વયંશિક્ષણ અને આજીવન કેળવણીની પ્રવૃત્તિથી લાભાન્વિત થાય તેવા ઉમદા હેતુથી મહારાજાએ પોતાના લક્ષ્મી વિલાસ પેલેસમાં સંગ્રહિત ગ્રંથો (પેલેસ લાઈબ્રેરી) કે જેનો ઉપયોગ રાજ્ય કુટુંબ તથા તેના અધિકારી વર્ગ માટે સિમિત હતો તેને જૂના સરકારવાડા (રોયલ મેન્શન) માં સ્થળાંતરિત કરીને પ્રજાજનો તેનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આ એ જગ્યા હતી કે જ્યાંથી શહેરના પ્રજાજનોને રાજ્યકુટુંબના ખુશીના પ્રસંગોએ તથા વિવિધ તહેવારોએ મીઠાઈ વહેંચવામાં આવતી હતી. તે જગ્યાએ પ્રજાજનોની વાંચનભૂખ માટે સરસ્વતિ મંદિર સમાન આ પુસ્તકાલય વર્ષ-૧૯૧૦માં વડોદરાના પ્રજાજનો માટે ખલ્લુ મુકવામાં આવ્યું. આ ગ્રંથસગ્રહમાં સંપતરાવ ગાયકવાડના અંગત સંગ્રહનો પણ ઉમેરો થયેલો.
મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરામાં સંગ્રહિત વિવિધ ભાષાના ઇ.સ. ૧૯૩૦ પૂર્વેના દુર્લભ ગ્રંથોના ડીઝીટાઇઝેશનની પ્રક્રિયા વર્ષઃ ૨૦૧૫ માં શરૂ કરાયેલ જેમાં નીચે મુજબના દુર્લભ ગ્રંથોનું ડીઝીટાઇઝેશન કરવામાં આવેલ છે.